સુરતમાં તૃતિયા સર્વજ્ઞાતિ સમુહલગ્ન સમારોહ યોજાયો

551

સુરત, કતારગામ વિસ્તારમાં આવેલ શિવછાયા સોસાયટી,બાપા સીતારામ સ્વયં સેવક પરિષદ અને બાપા સીતારામ મઢુલી, શીવછાયા દ્વારા આયોજીત તૃતિય સર્વજ્ઞાતિ  સમુહ લગ્ન મહોત્સવ બુધવાર ના રોજ ઇડન ગાર્ડન ફાર્મ,રામકથા રોડ,આંબાતલાવાડી ખાતે ખુબજ સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૧ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ લગ્ન મહોત્સવની શરૂઆતમાં સમુહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. જેમાં શહિદો ના પરીવાર માટે ફાળો પણ એકત્ર કરવામાં આવ્યો હતો.જેમ ફાળો ૨૧૬૪૭ પ્રાપ્ત થયેલ છે.

Previous articleમેરા બુથ સબસે મજબુત કાર્યક્રમ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે