રાણપુરમાં ગીરનારી આશ્રમે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ

518

સમગ્ર ભારત દેશ માં મહાશિવરાત્રી ની ધામધુમ થી ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લા ના રાણપુર માં પાળીયાદ રોડ ઉપર આવેલા ગીરનારી આશ્રમે મહંતશ્રી યોગી પુરણનાથજી બાપુ ની નિશ્રા માં વર્ષો થી પરંપરાગત મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવે છે જ્યારે થોડા સમય પહેલા પુલવામાં ભારતના સૈનિકો ઉપર આતંકી હુમલો થતા કેટલાય સૈનિકો શહીદ થતા આ વખતે પુરણનાથજી બાપુ દ્વારા મહાશિવરાત્રી ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહીદ થયેલા સૈનિકો ના આત્મા ને શાંતિ મળે તે માટે હોમાત્મક યજ્ઞ અને લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો તથા શિવ પુજન,નમઃશિવાય ધુન, સંતવાણી, મહાપ્રસાદ તથા લીલાગર પ્રસાદ સહીત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા રાણપુર પંથક ના શિવ ભક્તો મોટી સંખ્યામાં ગીરનારી આશ્રમે દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ ના નાદ થી વાતાવરણ ભક્તી મય બની ગયુ હતુ.જ્યારે રાણપુરના કપિલેશ્વર મહાદેવ,જડેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ સહીત તમામ મંદીરો માં મહાશિવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleસાવરકુંડલા બારોટ સમાજ આયોજીત સમાજવાડીનું ૭પ ટકા કામ પુર્ણાના આરે
Next articleચમારડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા વિરજીભાઈ ઠૂંમર