રાજુલાના કેશરીનંદન હનુમાનજી મંદિરે લક્ષ્મીનારાયણનો ૧૦મો પાટોત્સવ યોજાયો

771

રાજુલાના કેસરીનંદન હનુમાનજીના મંદિરે લક્ષ્મીનારાયણ ભગવાનનો ૧૦મો પાટોત્સવ અને મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં. હિરાભાઈ સોલંકી તેમજ ભાવેશભાઈ સોલંકી પરિવાર દ્વારા મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો.  રાજુલા કેસરીનંદન હનુમાનજી મંદિરે લક્ષ્મીનારાયણ મંદિરનો ૧૦મો પાટોત્સવ યોજાયો હતો. જેમાં ભાવેશભાઈ સોલંકી, શાંતુબહેન હીરાભાઈ સોલંકી, આરતીબેન ભાવેશભાઈ સોલંકી દ્વારા મહાયજ્ઞમાં બેસી કેસરી નંદન હનુમાનજી મહારાજ તેમજ મહંત સનાતનદાસ બાપુના આશીર્વ્દ લીધા તેમજ આ પ્રસંગે સમસ્ત જ્ઞાતિના આગેવાનો તેમજ ભાજપ પરિવારના આગેવાનોની હાજરી સાથે ૧૦મો પાટોત્સવ સંપન્ન થયો.

Previous articleસામાજિક પ્રશ્નો અને પડતર માંગણીઓ સંદર્ભે દે.પૂ. સમાજ ના આગેવાનોના દિલ્હીમા ધામા
Next articleખાંભાડા ડેમ નજીક અસંખ્ય કુંજ પક્ષીના મોતથી ચકચાર