સૌર મીઠુ ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા અંતર્ગત સેન્ટ્રલ સોલ્ટમાં કાર્યક્રમ યોજાયો

725

“સીએસઆઇઆર-એકીકૃત કૌશલ્ય પહેલ” દેશભરમાં સ્થિત સીએસઆઇઆર પ્રયોગ શાળાઓના કુશળતા અને આંતરમાળખાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ, ભારત દ્વારા શરૂ કરવામાં આવતી કુશળતાના વિકાસ માટેનો એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે. કૌશલ્ય ભારતની પહેલ હેઠળ સીએસઆઇઆર – સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ દ્વારા પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન તારીખ ૧૮ માર્ચ ૨૦૧૯ થી ૨૫ માર્ચ ૨૦૧૯ દરમ્યાન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓને “સૌર મીઠું ઉત્પાદન પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ પાસાઓ”, “રાસાયણિક પ્રક્રિયા પ્લાન્ટ માટે સર્ટિફિકેટ કોર્સ”, “સીવીડ ઉત્પાદન અને પ્રોસેસિંગ ટેકનોલોજીમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમ”, “સોલર થર્મલ ગેજેટ્‌સના સિદ્ધાંત અને વ્યવહારિક પાસાઓ માટે સર્ટિફિકેટ કોર્સ” અભ્યાસક્રમ પર તાલીમ આપવામાં આવેલ.  સીએસઆઇઆર – સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુ, ભાવનગર, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ ની ગુજરાત મા એકમાત્ર ઇન્સ્ટીટયુટ છે, જે મૂળભૂત અને એપ્લાઇડ સાયન્સ ક્ષેત્રોના રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે સમર્પિત છે. મીઠું, દરિયાઇ રસાયણો, પાણી ડિસેલિનેશન અને શુદ્ધિકરણ, સીવીડ બાયોલોજી અને બાયોટેકનોલોજી અને તેમની મૂલ્ય નિર્માણ, ઉદ્દીપન, ડાયગ્નોસ્ટિક્સ અને વિચ્છેદન, અને વસ્તીઉત્પાદક વિકાસ (દરિયા કિનારે સહિત) ના વિવિધ કાર્યક્રમો માટે અકાર્બનિક સામગ્રીઓનું તેનું સંશોધન સીએસઆઇઆર-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા કરવામાં આવેલ. એસ. સી. ઉપાધ્યાય, પ્રધાન વૈજ્ઞાનિક તથા નોડલ ઓફિસર, સીએસઆઇઆર-એકીકૃત કૌશલ્ય પહેલ જણાવેલ કે ઉપરોક્ત દરેક પ્રશિક્ષણ કાર્યક્રમોમાં સીએસઆઇઆર-સીએસએમસીઆરઆઇ દ્વારા કરવામાં આવતી દરેક પ્રવૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Previous articleદામનગરના નદી તળાવો ઉંડા ઉતારી જળસંગ્રહ માટે સુરતમાં બેઠક યોજાઈ
Next articleગરીબ બાળકો સાથે જન્મદિન ઉજવાયો