મોદીની વીડીયો કોન્ફરન્સમાં ભાવનગરના ચોકીદારો જોડાયા

806

મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત આજે અભિયાનમાં સ્વૈચ્છિક જોડાયેલ ખરા અર્થમાં સ્વયંભૂ રાષ્ટ્રના ચોકીદાર બનેલા રાષ્ટ્રના અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા રાષ્ટ્રપ્રેમી નાગરિકો,  શુભેચ્છકો અને કાર્યકર્તાઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમ થી શિવશક્તિ હોલ, ક્રેસન્ટ ખાતે સીધા જ જોડાઈ ને રાષ્ટ્રપ્રેમી નાગરિકોને સીધું સંબોધન કર્યુ હતું અને દેશભર ના ચોકીદારો સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રીના મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ચોકીદાર શબ્દની વ્યાખ્યા બદલાતા જણાવ્યું હતું કે દેશના સવાસો કરોડ નાગરિક સ્વયંભૂ ચોકીદાર બની નૈતિકતા અને રાષ્ટ્રપ્રેમ સાથે આગળ આવી ભ્રષ્ટચાર, આતંકવાદ, જાતિવાદ, પ્રાંતવાદ જેવા અનેક સામાજિક અને રાષ્ટ્રીય દુષણો સામે લડનારો પ્રત્યેક ભારત માતાનો સપૂત દેશનો ચોકીદાર છે….

આજે સમગ્ર રાષ્ટ્રમાં ૫૦૦થી વધુ સ્થાનો પર આ કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર મહાનગર ખાતે શિવશક્તિ હોલ ખાતે આજે સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો સહિત ચોકીદારો જોડાયા હતાં.

Previous articleઅકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનની સ્મશાન યાત્રામાં સ્વયંભુ લોકો જોડાયા
Next articleસિહોરના ગૌતમેશ્વર કુંડ પાછળ પાણીમાંથી યુવાનની લાશ મળી