પાલીતાણામાં ૧૩ વર્ષની સગીરા ઉપર શિક્ષકે દુષ્કર્મ કર્યાની રાવ

1997

પાલીતાણા ખાતે ધો.૮માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીરા ઉપર શાળાનાં જ શિક્ષકે ગઇકાલે બપોરે અગાશી ઉપર લઇ જઇને દુષ્કર્મ કર્યાની પાલીતાણા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પાલીતાણા શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની ૧૩ વર્ષની સગીરાને સફાઇ કરાવવાના બહાને શાળાનાં શિક્ષક એવા વિજય શ્યામજીભાઇ સભાડીયાએ અગાસી ઉપર મોકલી હતી અને બપોરના સમયે અઢી વાગ્યે રીસેસ દરમ્યાન બાળાને અગાસી ઉપર સફાઇ કરવા મોકલ્યા બાદ વિજય સભાડીયા પાછળ ગયો હતો અને સગીરાને પકડી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને રડતી મુકી ચાલ્યો ગયો હતો. બાદમાં બાળાનાં ઘરે જાણ થતા તેના માતા-પિતા સ્કુલે દોડી ગયા હતા અને ઘરે લઇ જઇને બાળાને પૂછતા સમગ્ર હકીકત જાણવા મળ્યા બાદ બાળાનાં પિતાએ શિક્ષક વિજય શ્યામજી સભાડીયા વિરૂદ્ધ બળાત્કાર તથા પોક્સોની કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ છે. ત્યારે આ બનાવથી સમગ્ર પાલીતાણા પંથકમાં ચકચાર સાથે શિક્ષક સામે રોષ ફેલાયો છે.

Previous article૪૦ હજારની ચોરીનો ભેદ ઉકેલતી બોટાદ પોલીસ ટીમ
Next articleસિહોરમાં કોલા નામથી ઓળખાતી કેફી સિરપનું થઈ રહેલું ધૂમ વેચાણ !