વર્ધામાં પીએમ મોદીના ભાષણની કોંગ્રેસે કરી ફરિયાદ, ચૂંટણીપંચે માંગ્યો રિપોર્ટ

442

લોકસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. તેવી સ્થિતિમાં આદર્શ આચાર સંહિતાનાં કથિત ઉલ્લંઘન અંગે પણ ઘણાં કેસ આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં એક ભાષણ આપ્યું હતું જે અંગે ચૂંટણી આયોગમાં ફરિયાદ થઇ છે. કોંગ્રેસની ફરિયાદ પછી ચૂંટણી આયોગે મહારાષ્ટ્રનાં નિર્વાચન અધિકારીઓ પાસેથી તથ્યાત્મક રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદીએ સોમવારે વર્ધામાં રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં વાયનાડથી ચૂંટણી લડવા અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી એટલા માટે વાયનાડ ગયા કારણ કે ત્યાં હિંદૂ અલ્પસંખ્યક છે અને ક્ષેત્રમાં મુસ્લિમની બહુમતી છે.

પીએમ મોદીએ સોમવારે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિ કરવા માટે ’હિંદુ આતંક’ શબ્દ ઉછાળવા પર કોંગ્રેસ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અદાલતનાં નિર્ણયથી રાહુલ ગાંધી ડરી ગયા છે કે હિંદુ તેમને સબક શીખવાડશે. એટલે તેઓમાં હિંદુ બહુમતી ધરાવતા સંસદીય ક્ષેત્રોમાં ઉભા રહેવાનું સાહસ નથી. તેઓ ચૂંટણી માટે અન્ય અલ્પસંખ્યક બહુમકી સીટો તરફ દોડી રહ્યાં છે.

મોદીએ કહ્યું હતું કે, ’આપણી ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિમાં આ પહેલીવાર છે કે કોંગ્રેસ -રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)એ શાંતિથી રહેતા હિંદુઓને આતંકવાદી કહેવાનું પાપ કર્યું છે. તેમણે આ બધુ વોટબેંકની રાજનીતિ માટે કર્યું છે. તેઓ આ માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. એટલે કોંગ્રેસ-એનસીપી સામાન્ય હિંદુઓને અપમાનિત કરવાનું કામ કરી રહી છે.

Previous articleવર્તમાન સરકારે કામ નથી કર્યું તો બીજાને તક આપવામાં વાંધો શું છે? : નિતિન ગડકરી
Next articleશોપિયાં સેક્ટરમાં એન્કાઉન્ટર સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા