મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ

561

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શ્રી ગાંધીનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, સેક્ટર-૨૨ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં સકલ જૈન સમાજની ઉપસ્થિતિમાં નાના બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ થઇને શોભાયાત્રામાં જોડાય હતા.

ઉપરાંત પ્રભુજીની ભવ્ય અંગરચના તથા સંધ્યાભક્તિ સાથે કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો.

મહાવીર જયંતિ નિમિત્તે જૈન દેરાસરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઉપરાંત મહારાજ સાહેબના ધાર્મિક પ્રવચનોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર સ્વામીએ અહિંસાનો માર્ગ અપનાવવા માટે મહારાજ સાહેબોએ જણાવ્યું હતું.

 

Previous articleકચ્છના ૧૦માંથી ૫ તાલુકામાં પાણીની તીવ્ર કટોકટી, લખપત-રાપરમાં અતિગંભીર સ્થિતિ
Next articleમતદાન જાગૃતી માટેના અનોખા પ્રયાસ બદલ એવોર્ડ