વસાહતમંડળની લોકોને મતદાન માટે અપીલ

608

રાજ્યમાં લોકસભાની ૨૬ બેઠકો માટેનું મતદાન મંગળવારે યોજાવાનું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની ૫ બેઠકના વિસ્તારમાં લોકસભાની ૩ બેઠકો ગાંધીનગર -અમદાવાદ પૂર્વ અને મહેસાણા માટે મતદાન કરવામાં આવશે.

ગાંધીનગરની સંસ્થા વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચ અને જાગૃત નાગરિક પરિષદના પ્રમુખ જ્યોતિન્દ્રભાઇ દવેએ નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી તારીખ ૨૩મી એપ્રિલે યોજાઇ રહી છે. ત્યારે મોટા પ્રમાણમાં મતદાન કરવામાં યાવે તે લોકશાહીના હિતમાં છે.

લોકશાહીના અધિકાર આપણને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ છીએ. ચૂંટણી પંચ દ્વારા મતદાર નાગરિકોને ફોટો મતદાર કાપલી પહોંચાડવામાં આવી રહી છે. તેથી મતદાન જરૂરથી કરવા વસાહત મંડળ દ્વારા લોકોને અપીલ કરાઈ છે.

Previous articleગુજરાતનાં આ ગામમાં મતદાન ન કરનાર પાસે વસૂલવામાં આવે છે દંડ
Next articleઅમદાવાદમાં GSTની સંખ્યાબંધ ફાઈલોની ચોરી થતાં ખળભળાટ