તળાજાના મધુવન ગામે ઘેલાદાદાના મંદિરે સન્માન સમારોહ મહાયજ્ઞ યોજાયો

586

તળાજા ના મધુવન પાખી ચૌહાણ પરિવાર વર્ષો પુરાણી ઘેલાદાદા નુ મંદિર આવેલું છે કહેવાય છે કે સમુદ્ર નજીક પોળ મા ધીંગાણું ખેલાયુ હતું અને ઘેલાદાદા અને ખવી દાદા વીરગતિ પામ્યા હતા ત્યા  સ્થાનક બનાવેલ અને અત્યારે સમગ્ર મધુવન પાખી ચૌહાણ પરિવાર દ્વારા મંદિર બનાવ્યું છે ત્યા    સમગ્ર પરીવાર ના તેજસ્વી તારલાઓને ઈનામ થી નવાજવામાં આવ્યા હતા ૧થી કોલેજ  સુધી ના વિધાર્થીઓ ને ટ્રોફી અને ગુલીસતો અને બુક સેટ આપી નવાજવામાં આવ્યા હતા અને તમામ પરીવાર ના કોઈ પણ ક્ષેત્રમાં જોબ કરતા હોય રિટાયર્ડ હોઈ  તેવા અધિકારી પદાધિકારીઓ આગેવાનો ને બોલાવી જાહેર મા  સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિશાળ મંડપમાં મહા યજ્ઞ  ના પાટલા અને મુખ્ય યજમાન  પદે   મહા યજ્ઞ યોજાયો હતો દર વર્ષે ચૈત્ર મહિના મા અહી ઘેલાદાદા ના મંદિરે હવન યજ્ઞ યોજાઈ છે પરંપરા મુજબ આ વર્ષે પણ ચૈત્ર મહિના માં યજ્ઞ સહીત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા  જીલ્લા અને ગુજરાત ભરના અને અન્ય રાજ્યોમાં વસતા  ચૌહાણ પરિવાર ના વડીલો ભક્તો હાજર રહ્યા હતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક સાથે  સમગ્ર પરીવાર  સાથે બેસીને પ્રસાદ નો લાભ લીધો હતો અને પાણી નહીં બગાડવા અને વ્યસન મુક્તિ માટે વડીલો એ યુવાનો ને સંપથ લેવડાવ્યા હતા  સમગ્ર સમાજ સાધુ સંતો અને નેતાઓ હાજર રહી આયોજકો ને બિરદાવયા હતા આયોજકો દ્વારા રાત દિવસ મહેનત કરી પરીવાર ને એક તાતણે બાંધ્યો હતો.

Previous articleદહીથરા પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ ઉજવાયો
Next articleઅમરેલીના છેવાડાના ગામોમાં ખુલ્લેઆમ ખીનજચોરી