જાફરાબાદમાંથી પસાર થતા ઓવરલોડ ટ્રકોનાં કારણે જીવલેણ અકસ્માતની ભીતિ

649

જાફરાબાદ તેમજ રાજુલા વિસ્તારો ઔદ્યોગિક તાલુકાઓ તરીકે વિકસવા લાગ્યા છે. જેથી વિસ્તારનો વિકાસ અને લોકોને કામ ધંધો અને રોજીરોટી મળતી રહે પરંતુ આ ઔદ્યોગિકરણનાં કારણએ રોડ રસ્તા ઉફર જતાં લોકો અને વાહનો માટે જોખમ પણ ઉભું થતું જાય છે. જાફરાબાદ શહેરી વિસ્તારો તરફ કંપનીઓ રો-મટીરીયલ્સ તરીકે મોટા મોટા પથ્થરો મંગાવે છે અને આ પથ્થરો રાજુલા તરફથી અથવા વઢેરા રોડ ઉપરથી પસાર થાય છે. આ મહાકાય પથ્થરો ભરેલા ટ્રકો ઓવરલોડ તો ભરેલ હોય જ છે. સાથો સાથે ટ્રકોની પાછળની વાડો પણ બંધ કરાત નથી. જેથી પાછળ આવતા વાહનો કે મુસાફરોને આ રોડ ઉપર જીવનાં જોખમે અવર જવર કરવી પડે છે. જાફરાબાદ શહેરમાં રોડ શહેરમાં થઇને એટલે કે માછીમારીની સીઝનનાં લીધે બંને તરફ લોકો અને માચ્છીમારોની સતત અવર જવર રહે છે. ત્યારે આ લોડીંગ ભરેલા ટ્રકોમાંથી પડેલ પથ્થરથી કોઇ જાનહાનિ થયેલ તો નથી પરંતુ કોઇકનો જીવતો બચ્યો જ છે ? આવા પથ્થરો રસ્તામાં અચાનક સામે પડેલાં જોતાં ઘણાં વાહનો વાળાને કાબુ ગુમાવી એક્સીડન્ટો થયાના ંકેસો પણ બનેલ છે. તો તત્કાલ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહિં આવે તો જાફરાબાદ શહેરના લોકોના તંત્ર તરફનો વિશ્વાસ ઉઠી જશે અને કોઇ નિર્દોષના જીવનો ભોગ લેવાતા વાર નહિં લાગે.

Previous articleબોટાદ-ધાંગધ્રા ડેમુ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા માગ
Next articleગુજરાત રાજ્ય રેડક્રોસના વાઇસ ચેરમેન પદે સુમિત ઠક્કરની વરણી