દુશ્મની એવી કરો કે ફરી મિત્રો બનો તો શરમ ન આવે : સુષ્મા સ્વરાજ

629

વિદેશ મંત્રી અને બીજેપીની સિનિયર નેતા સુષ્મા સ્વરાજે અલગ-અલગ ટિ્‌વટ કરીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના નિવેદનો પર વળતો હુમલો કર્યો. તેમણે તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જીને જાણીતા શાયર બશીર બદ્રના એક શેર દ્વારા જવાબ આપ્યો.

વિદેશ મંત્રીએ ટિ્‌વટ કરીને કહ્યું કે, મમતાજી, આજે આપે તમામ હદો પાર કરી દીધી. તમે રાજ્યના મુખ્યમંત્રી છો અને મોદીજી દેશના વડાપ્રધાન છે. કાલે આપને તેમની સાથે જ વાત કરવાની છે. તેથી બશીર બદ્રનો એક શેર યાદ અપાવી રહી છું, દુશ્મની જમ કર કરો લેકિન યે ગુંજાઇશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં તો શર્મિંદા ન હોં.

બીજેપી નેતાએ વધુ એક ટિ્‌વટ કર્યું જેમાં તેઓએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મનમોહન સિંહ સરકારની યાદ અપાવતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ કેવી રીતે વટહુકમ ફાડી દીધો હતો.સુષ્માએ કહ્યું કે, પ્રિયંકાજી, આજ આપે અહંકારની વાત કરી. હું આપને યાદ અપાવું કે અહંકારની પરાકાષ્ઠા તો તે દિવસે થઈ હતી જે દિવસે રાહુલજીએ પોતાના જ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહજીનું અપમાન કરતાં રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલા વટહુકમને ફાડીને ફેંક્યું હતું.  કોણ કોને સંભળાવી રહ્યું છે?

Previous articleચોકીદાર ચોર હૈ’ નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગી
Next articleછત્તિસગઢ : બે નક્સલી ઠાર થયા , હથિયારનો જથ્થો જપ્ત