બજારમાંથી મોડું થતાં પતિએ પત્નીને ફિનાઇલ પીવડાવ્યું

482

સામાન્ય રીતે પતિ પત્નીના ઝઘડાઓમાં પતિ પત્ની ઉપર અત્યાચાર કરતો હોય છે ત્યારે ક્યારેક પતિ પત્નીની હત્યા પણ કર્યાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જેમાં ઝઘડા બાદ પતિએ પત્નીને ફિનાઇલ પીવડાવી દીધું હતું. જેના પગલે તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મળતી માહિતી પ્રમાણે સુરતના લિંબાયતના નીલગીરી ખાતે રામનગરમાં રહેતો રવિન્દ્ર સોનવમે પ્લમ્બિંગનું કામ કરે છે. પરિવારમાં પત્ની નંદની અને સંતાનમાં પુત્ર છે. પત્ની નંદની તેની મોટી બહેન સાથે બજારમાં ખરીદી માટે ગઇ હતી.

ત્યારે પરત ફરી તો પતિ રવિન્દ્રએ તેની સાથે ઝઘડો કર્યો હતો. બજારમાં આટલું મોડું કેમ થયું એમ કહીં ઠપકો આપ્યા બાદ તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી.

ત્યારબાદ રવિન્દ્રએ મારપીટ કરીને પત્નીને બળજબરીથી ફિનાઇલ પીવડાવી દીધું હતું. જેના પગલે તેની તબીયલ લથડતા સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવ્યા હતા.

Previous articleપ્લાસ્ટિકના કપ, પ્લેટ,ચમચીઓનાં વેચાણ પર તંત્રની લાલ આંખ
Next articleસેક્ટર-૭ જૈન દેરાસરની સાલગીરી મહોત્સવની ઉજવણી