રાજુલા – જાફરાબાદમાં બાબર જ્ઞાતિનો સાતમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

696

રાજુલા-જાફરાબાદમાં બાબર સમાજનાં સમૂહ લગ્ન તા.૧૨ને રવિવાર યોજાયા હતા. જેમાં ૧૯ (ઓગણીસ) નવ દંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમજ આ લગ્નમાં એક બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. બાબર સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે. જેમાં જાફરાબાદ રાજુલા વિસ્તારમાં છેલ્લા બે ત્રણ વર્ષથી સમૂહ લગ્ન બંધ હતા. તે ફરી રાજુલા જાફરાબાદ બાબર સમાજ દ્વારા એક થઇ અને આ વર્ષે આયોજન કરી અને ધામધૂમથી સંતો મહંતો, રાજકિય આગેવાનો, જ્ઞાતિના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આચાર્ય મનસુખદાદા તથા શંકરભાઇ પુરોહિત રાભડાવાળાના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા. જેમાં પ્રમુખ કોટડીયા દુલાભાઇ ખોડાભાઇ દેવકા, ઉપપ્રમુખ વાઢેળ ભરતભાઇ, કાળુભાઇ રાજુલા, લખમણભાઇ નાથાભાઇ રોહિસા, વિપુલભાઇ રાઠોડ (ઝોલી) દ્વારા આ સમૂહ લગ્ન સફળતા પૂર્વક યોજાયો હતો.

Previous articleઘરફોડ ચોરીમાં સંડોવાયેલી કામવાળી બાઇને ઝડપી લેવાઇ
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી