પરિણીતાનું ગોળી વાગતા મોત, પતિ ફરાર, હત્યાની આશંકા

672

અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં આવેલા શ્રેયા એપાર્ટમેન્ટનાં એ-૪૦૧ ઘરમાં મહિલાનું ગોળી વાગવાથી મોત નીપજ્યું છે. સૌથી પહેલા આ ઘટનાની જાણ તે ઘરમાં સૂતા બાળકોને થઇ હતી. બાળકોએ આની જાણ તેમના કાકાને કરી. જે બાદ તેઓ ઘરે આવતાં તેમણે પોલીસને જાણ કરી હતી.

પતિનાં ભાઇએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે, “અમને બાળકોએ ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે મમ્મીએ ગોળી ખાઇ લીધી છે ત્યારે અમને લાગ્યું કે ટેબલેટ ખાઇ લીધી છે. પરંતુ અહીં આવીને જોયું તો લોહી દેખાયું હતું. મારા ભાભીની દોઢ વર્ષથી માનસિક સારવાર ચાલી રહી છે. તેઓ દવા પણ લઇ રહ્યાં હતાં. મારા ભાઇને વાપીમાં નોકરી લાગી છે તો તે ૧૫-૨૦ દિવસે એકવાર આવે છે. મને નથી લાગતું કે આ મર્ડર છે તેમણે આપઘાત જ હોવો જોઇએ.”

બાળકોનાં કહેવા પ્રમાણે આજે સવારે તેમનાં પિતા ઘરે આવ્યાં હતાં પરંતુ થોડી જ વારમાં તે દૂધ લેવાનાં બહાને ઘરેથી બહાર ગયા હતાં. જે બાદ તે પાછા આવ્યાં નથી.

પોલીસનાં જણાવ્યાં પ્રમાણે મૃતક અનિતા વર્માની માઉઝર પીસ્ટલથી ગોળી વાગતા મોત થયું છે. પતિ ફરાર થઇ જતા પોલીસને હત્યાની આશંકા છે. મૃતકનો પતિ અમિત સિંગ ઉર્ફે સોનુ પંજાબી ફ્રેકચર ગેંગ સાથે સંકળાયેલ છે. તે વ્યાજખોરી, ખંડણી, હત્યા સહિત અનેક ગુનામાં પણ સંડોવાયેલ છે.

Previous articleહવે રેલવે મુસાફરોને ટ્રેનની ટિકિટ ઉધારમાં પણ આપશે
Next articleવીજ ચોરી કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, આપી ૩ વર્ષની સજા, ૬ લાખનો દંડ