પતિએ મારમારી કાઢી મુકેલ પરણિતાને ૮ માસનું બાળક ૧૮૧ ટીમે પરત અપાવ્યું

2448

મહુવા તાલુકાના મોટી જાગધાર મુકામે એક પરીણીતાને તેમના પતિએ રાત્રએ મારમારીને ઘરેથી કાઢી મુકેલ હતી અને પરીણીતાના આઠ માસની બાળકીને સાસરીયા પક્ષે લઇ લીધેલ હતી. જેથી પરીણીતાને ઘરેથી બહાર રાત્રી દરમ્યાન કાઢી મુકેલ હોવાથી પરીણીતા પીયર પહોંચેલ ત્યારબાદ બાળકીને લેવા માટે ૧૮૧માં કોલ કરેલ અને મદદ માંગેલ ૧૮૧માં કોલ આવતાની સાથે જ સિહોર ૧૮૧ની ટીમ કાઉન્સરેલર સરવૈયા વૈશાલી, કોન્સ્ટેબલ જાગૃતિબેન ગઢવી અને પાયલોટ પ્રકાશભાઇ ડાભી તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયેલ. પરિણીતાના સાસરીયા પક્ષને ૧૮૧ની ટીમ દ્વારા સમજાવેલ અને આઠ માસનું નાનું બાળક તેની માતાને અપાવેલ હતું. માતાને તેનું બાળક મળી જતા હાશકારો થયેલ.

Previous articleબોટાદ જીલ્લા સમાચાર પ્રતિનિધિ કલ્યાણ સંઘના હોદ્દેદારોની નિમણુક
Next articleરાજકોટમાં પી.એમ. મોદીના ફોટો અને ચિત્રોનું પ્રદર્શન