રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત : પારો ૪૪.૪

600

અમદાવાદ શહેરમાં ભીષણ ગરમીના કારણએ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે પારો અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં ૪૪થી પણ ઉપર પહોંચી ગયો હતો જેથી લોકો સાવચેત થઇ ગયા હતા. આજે જનજીવન પણ ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૪.૩ સુધી પહોંચી ગયું હતું. મોબાઇલ બપોરના ગાળામાં પારો ૪૫થી ઉપર દર્શાવવામાં આવતા લોકોમાં આને લઇને ચર્ચા જોવા મળી હતી. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં બલ્કે ગાંધીનગરમાં પણ પારો ૪૪.૪, સુરેન્દ્રનગરમાં પારો ૪૪ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૪૪.૭ સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગ દ્વારા હિટવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે અને એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે. ગરમીનો પ્રકોસ અકબંધ રહે તેવી શક્યતા છે.  દક્ષિણ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પારો વધીને ૪૪.૩ સુધી પહોંચ્યો હતો અને આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૪ ઉપર પહોંચવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અમદાવાદમાં જનજીવન ખોરવાઈ જાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. વિવિધ ભાગોમાં પારો ૪૪ની નજીક રહ્યો હતો જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયાહતા. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે.

બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જોરદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે.

તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નિકળ્યા હતા. તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે.

Previous articleહારની નૈતિક જવાબદારી સ્વીકારી, રાજીનામાનો પ્રશ્ન નથી : અમિત ચાવડા
Next articleસાવરકુંડલાની કેસર કેરીનાં રિસર્ચ માટે ગોરાઓ ઘેલા થયા