ભાવનગરનાં આઠ યુવકો સિદ્ધાર્થ જોશી, મયુરસિંહ ગોહિલ, વિશાલ જાની, સમીર જોશી, રાજન મહેતા, સતીષ ટેલર, જયેશ આહિર તેમજ શ્રેય પટેલ તા.૨૦ મેના રોજ બુલેટ લઇને કેદારનાથ દર્શન કરવા નીકળ્યા હતા. આ યુવકોએ કેદારનાથ તેમજ મંદિરથીથોડા અંતરે આવેલ અને તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ગુફામાં ધ્યાન કરેલ તે ગુફાના પણ દર્શન કરીને કેદારનાથથી આ યુવકોની ટીમ બદ્રીનાથ દર્શન કરીને ભાવનગર પરત ફરેલ છે.