બરવાળા તાલુકાના રોજીદ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા આધેડને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયારે વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર બરવાળા-ધંધુકા હાઈવે ઉપર આવેલ રોજીદ ગામ પાસે તા ૦૫/૦૬/૨૦૧૯ ના રોજ બપોરના ૧૨ઃ૦૦ વાગ્યાના અરસામાં ધંધુકા તરફથી ચાલીને બરવાળા તરફ આવી રહેલા રાહદારી ગણપતભાઈ લધુભાઈ ઝાલા રહે.છશીયાણા,તા.ધંધુકાને અજાણ્યા વાહન ચાલક દ્વારા અડફેટે લેતા લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે બરવાળા સી.એચ.સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર મળી ગયા બાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે બરવાળા પોલિસને જાણ થતા કિરણસિંહ દાયમા તેમજ લગધીરસિંહ ચુડાસમા હોસ્પીટલ ખાતે દોડી ગયા હતા.
આ અંગે ઉલ્લેખનિય વિગત અનુસાર ગણપતભાઈ ઝાલા છશીયાણાથી વૈયા ગામે ચાલતા જતા હતા એ અરસામાં રોજિદ પાસે અજાણ્યો વાહન ચાલકે આધેડને અડફેટે લેતા લોહિયાળ ઇજાઓ પહોચાડી વાહન લઈને નાશી છુટયો હતો.