ગુજરાતના અનેક ભાગોમાં પારો ૪૩થી પણ ઉપર

513

અમદાવાદ સહિત રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૩થી પણ ઉપર પહોંચી ગયો છે. મોબાઇલ ફોન અને અન્ય સાધનોમાં પારો ૪૫ની આસપાસ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વધતી જતી ગરમી વચ્ચે શ્વાસની તકલીફ, બેભાન થઇ જવાના બનાવોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. બપોરના ગાળામાં લોકોની હાલત સૌથી વધારે કફોડી બની છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો ઉપર બપોરના ગાળામાં રોકાવવાના લીધે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી વયના લોકોને સૌથી વધુ અસર આની અનુભવાઈ છે. આજે અમદાવાદમાં પારો ૪૩.૪ રહ્યો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, અમરેલી, અન્ય અનેક વિસ્તારોમાં પારો ૪૩થી પણ ઉપર રહેતા લોકો મુશ્કેલીમાં દેખાયા હતા. હિટવેવની ચેતવણી જારી કરાઈ નથી પરંતુ એલર્ટની જાહેરાત અકબંધ રાખવામાં આવી છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે.

સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમીથી લોકો ભારે પરેશાન દેખાયા હતા. હાલમાં ગરમીનો પ્રકોપ અકબંધ રહે તેવી શક્યતા છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી હિટવેવને લઇને કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી જેથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અકબંધ રહેવાની શક્યતા દેખાઈ રહી છે.

બપોરના ગાળામાં આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. જનજીવન પર અસર થઈ હતી. કેટલાક લોકોએ કહ્યું હતું કે, બપોરના ગાળામાં પારો ૪૫ સુધી પહોંચી ગયો હતો. જોકે હવામાન તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. અલબત એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

 

Previous articleRTGS-NEFT રુટ દ્વારા ફંડના ટ્રાન્સફર પર ચાર્જ નહીં
Next articleરાજકોટમાં પાક વિમા પ્રશ્ને કિસાન સંઘ-ખેડૂતોની રેલી