એસટી બસ બંધ પડતા ૬ કલાક મુસાફરો રઝળ્યા, ડેપોમાંથી કોઈ મદદ નહિ

573

માંડવીથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ મોડી રાત્રે આશરે ૨ વાગ્યા આસપાસ બંધ થઈ ગઈ હતી. કોઈ ખામીને કારણે બસ બંધ પડી ગઈ. જેને લઈને મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એક-બે કલાક નહિ, પરંતુ છ-છ કલાક સુધી મુસાફરોએ હાઈવે પર સમય વીતાવવો પડ્યો હતો. મુસાફરોએ માંડવી, ભૂજ અને ભચાઉના ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તમામ ડેપો મેનેજરનો ફોન નંબર સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ડેપો મેનેજરો કદાચ મોબાઈલ સ્વીચ ઓફ કરીને પોતાના ઘરે એસીમાં મીઠી ઊંઘ માણી રહ્યા હશે. સવારે સાત વાગ્યા સુધી અન્ય બસની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી. જેને લઈને મુસાફરોની ઊંઘ તો બગડી જ સાથે સમય પણ બગડ્યો. ડ્રાઈવર અને કન્ડક્ટરે પણ કોઈ વ્યવસ્થા કરાવવાને બદલે હાથ ઊંચા કરી લીધા હતા. ત્યારે સવાલ એ છે કે આવી રીતે કોઈ સૂમસામ જગ્યા પર બસ બંધ થઈ જાય તો જવાબદારી કોની? અને મુસાફરોનો જે સમય બગડ્યો તેનું શું? શું આવી રીતે જ ચાલતી રહેશે સરકારી વિભાગોની બસો…? મેગા સિટીમાં એસીવાળી અને સ્લીપર કોચ શરૂ કરનાર એસટી વિભાગ શું એટલી વ્યવસ્થા પણ નથી કરી શકતું કે રોડ પર અડધી રાત્રે બસ અટવાઈ જાય તો તેની જગ્યાએ નવી બસ મોકલી શકે ?

Previous articleસેસેક્સ ૮૬ પોઈન્ટ ઉછળીને બંધ : અનેક શેરમાં તેજી રહી
Next articleશાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ ન મળતા ડીઈઓ કચેરી પર ધરણા