રાજ્યમાં હિટવેવ : પારો ૪૫થી ઉપર

761

અમદાવાદ સહિત રાજ્યભરમાં હિટવેવનું મોજુ ફરી વળ્યું છે જેથી લોકો ભારે મુશ્કેલીમાં દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી હિટવેવની ચેતવણી આગામી ત્રણ દિવસ માટે જારી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો. સૌથી વધુ ગરમીનો અનુભવ સુરેન્દ્રનગરમાં થયો હતો જ્યાં પારો ૪૫.૫ સુધી પહોંચ્યો હતો જ્યારે અમદાવાદમાં ૪૪.૧, ડિસામાં ૪૪.૫, ગાંધીનગરમાં ૪૪.૬ અને રાજકોટમાં પારો ૪૪.૬ સુધી રહ્યો હતો.  સુરેન્દ્રનગરમાં સતત સૌથી વધુ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગો, દિવ દમણ દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્ચના વિવિધ ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ  તાપમાનમાં કોઇ ફેરફારની સ્થિતિ થશે નહીં. અમદાવાદ અને ગાંધીનગર માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. એલર્ટની પણ જાહેરાતને અકબંધ રાખવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે પણ પારો ૪૪થી ઉપર રહી શકે છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો જાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે શ્વાસની તકલીફ, બેભાન થઇ જવાના બનાવોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. હીટવેવની ચેતવણી પણ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો માટે જારી કરવામાં આવી છે.

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમી પડવાની સંકેત દેખાઈ રહ્યા છે. પારો હજુ પણ ઉપર જઈ શકે છે. અમદાવાદમાં પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચેતાવણીના પરિણામ સ્વરૂપે લોકો બપોરના ગાળાના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  બપોરના ગાળામાં લોકોની હાલત સૌથી વધારે કફોડી બની છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો ઉપર બપોરના ગાળામાં રોકાવવાના લીધે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  મોટી વયના લોકોને સૌથી વધુ અસર આની અનુભવાઈ છે.

Previous articleગુજરાતમાં ૧૩થી ચોમાસાનું આગમન થાય તેવી આગાહી
Next articleરાજુલાનાં ઇતિહાસને જીવંત રાખતો મોહન ટાવર બન્યો પોસ્ટર ટાવર !