પાણીની બોટલ સાથે એક લાખ સુકા ફુડ પેકેટ સૌરાષ્ટ્ર રવાના કરાયા

714

અરબી સમુદ્રમાંથી ઉભુ થયેલું વાયુ નામનું વાવઝોડુ ૧૩મી સવારે ગુજરતમાં તબાહી મચાવશે. રાજ્યમાં જાનમાલને ઓછામાં ઓછુ નુકશાન થાય તેમજ રાહત અને બચાવની કામગીરી ખુબ જ ઝડપથી થાય તે માટે ગુજરાત સરકારે તમામ અયોજન કરી દીધું છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને એલર્ટ કરાયા છે.  રાજ્ય સરકારે પણ ઈમરજન્સી મીટિંગ બોલાવી વાવાઝોડા સંભવિત અસરો ને પહોંચી વળવા એકશન પ્લાન બનાવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકવાની દહેશતને કારણે વડોદરાથી એનડીઆરએફની ૧૧ ટીમો મંગળવારના રોજ રવાના કરવામાં આવી છે. ત્યારે બુધવારે પાણીની બોટલ સાથે એક લાખ સુકા ફુડ પેકેટ રવાના કરાયા છે.

Previous article‘વાયુ’ વેરશે ૪૮ કલાક ‘વિનાશ’
Next articleવાયુ વાવાઝોડાના પગલે વડાપ્રધાને ટિ્‌વટ કર્યું