તબીબોની હડતાળ : કોમામાં હોસ્પિટલો, દર્દીઓ પરેશાન

444

પશ્વિમ બંગાળમાં બે તબીબો સાથે મારામારી કરવાના બનાવના વિરોધમાં દેશભરમાં આજે ફરી એકવાર તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે દેશભરમાં તબીબી સેવાને માઠી અસર થઇ હતી. દર્દી અને તેમના સગાસંબંધીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તબીબોની હડતાળથી હોસ્પિટલો પણ કોમાની સ્થિતિમાં સરખી ગયા હતા. એમ્સમાં પણ તબીબો પણ હડતાળમાં જોડાયા હતા. જોકે, દિલ્હી મેડિકલ એસોસિએશનના તબીબોએ જરૂરી સેવા ન ખોરવી નાખવાની અપીલ કરી હતી. રવિવારે મોડી રાત્રે જ જાહેરાત કરવામાં આવી હતી કે, તમામ ક્લિનક, નર્સિગ હોમ, હોેસ્પિટલોમાં રૂટીન સેવા બંધ રહેશે. જોકે, આઈસીયુ, પ્રસુસિ કેન્દ્રો તથા ઈમરજન્સી સેવાઓ જારી રહેશે. હડતાળમાં ઓપીડી સેવા, વોર્ડ સેવાઓને શામિલ કરવામાં આવી છે. તબીબોની માંગ છે કે, મેડિકલ પ્રોફેશનલોની સાથે સારુ વર્તન કરવામાં આવે. સાથે સાથે તબીબોની સાથે કરવામાં આવતી મારામારીના મામલામાં કાનુન બનાવવામાં આવે. ઉપરાંત હોસ્પિટલોને  સેફ ઝોમ ઘોષિત કરવામાં આવે. આ ઉપરાંત સુરક્ષાની પૂર્ણ જવાબદારી સરકારની હોવી જોઈએ. દેશભરમાં આજે હડતાળ પડી છે પરંતુ બંગાળમાં ગયા મંગળવારથી હડતાળ જારી છે. મંગળવારના દિવસે કોલકત્તાના એનઆરએસ હોસ્પિટલમાં ૭૫ વર્ષીય એક વ્યક્તિના મોત બાદ પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબોને માર મારવામાં આવ્યા હતા. આના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અપીલ પર આ હડતાળ પડી ગઇ છે. હડતાળના કારણે પાંચ લાખ તબીબો સેવા પર હાજર થયા નથી. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશનની સાથે જોડાયેલા ૧૮૦૦૦ તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે.

એમ્સની સાથે સાથે અન્ય તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે એમ્સના તબીબો હડતાળમાં સામેલ થશે નહીં પરંતુ આજે હડતાળમાં જોડાઇ ગયા હતા.એનઆરએસ હોસ્પિટલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા અપરાધીઓને બિનજામીનપાત્ર હેઠળ પકડી પાડવાની પણ માંગ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. વારાણસીમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુના તબીબો હડતાળ ઉપર છે. મહારાષ્ટ્ર એસોશિએશન રેસિડેન્ટ ડોક્ટર દ્વારા પણ હડતાળને સમર્થન અપાયું છે. રાજસ્થાનના તબીબો પણ હડતાળમાં આગળ આવ્યા છે.બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. બંગાળમાં તો ૭૦૦ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે.  રાજીનામુ આપનાર તબીબોનું કહેવ છે કે, વર્તમાન સ્થિતિમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી માફીની માંગ કરવામાં આવી છે. સાથે સાથે અનેક શરતો પણ મુકી દીધી છે. તબીબોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેને લઇને તેમને અપેક્ષા ન હતા. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા સંબંધિત માંગ પુરી થશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે.બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવકારો ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષી ભાજપ અને સીપીએમ દ્વારા ભડકાવવામાં આવ્યા બાદ તબીબો હડતાળ પાડી રહ્યા છે.તબીબોની માંગ છે કે, યોગ્ય સુરક્ષા મળે તે જરૂરી છે. તમામ હોસ્પિટલમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવાની માંગ થઇ છે.  તબીબોની માંગ સ્વીકારવાની ખાતરી આપવામાં આવી છે.

Previous articleસત્રના પ્રથમ દિવસે રાહુલ ગાંધી ન દેખાતા પ્રશ્નો થયા
Next articleજે. પી. નડ્ડા બન્યા બીજેપીના કાર્યકારી અધ્યક્ષ