અમરેલીમાં ભાજપનાં વિજેતા નેતાઓનાં સન્માન સાથે ટીફીન મીટીંગનું આયોજન

470

અમરેલી ખાતે આજે ભાજપ પરીવાર દ્વારા જીતેલા નેતા પરશોત્તમભાઇ રૂપાલા, નારણભાઇ કાછડીયા, દિલીપભાઇ સંઘાણી, મનિષભાઇ સંઘાણી તેમજ હિરાભાઇ સોલંકી, હિરેનભાઇ હિરપરા, રવુભાઇ ખુમાણ, ચેતનભાઇ શિયાળ, વિજાણંદભાઇ વાઘેલા, જીલુભાઇ બારૈયા, ચંદુભાઇ સરપંચ મીતીયાળા, વિક્રમભાઇ સરપંચ વીસળીયા, હરેશભાઇ મકવાણા, છગનભાઇ ચિત્રાસર ભાજપ મંત્રી આહીર સમાજના રાજુલા તાલુકા પ્રમુખ ભોળાભાઇ લાડુમોર, નાજાભાઇ પીંજર, અરજણભાઇ વાઘ, કાઠી ક્ષત્રીય સમાજના પ્રતાપભાઇ મકવાણા, કનુભાઇ ધાંખડા, મયુરભાઇ શહેર ભાજપ પ્રમુખ દીલીપભાઇ જોશી સહિત આગેવાનોની જહેમતથી બાબરીયાવાડના ભાજપના કાર્યકરો દ્વારા ૫૦૦ બાબરીયાવાડના રાષ્ટ્રપ્રેમીઓની હાજરીમાં જીતેલા નેતાઓનો સન્માન સમારોહ યોજાયો પણ જીતેલા નેતાઓએ આજે એમ કીધું કે આ જીત અમારી બિલકુલ નથી. આ જીત રાષ્ટ્રપ્રેમી જનતાની જ છે એટલે અમરેલી જિલ્લાની તમામ જનતાનો આ સન્માન સમારોહ છે તેમજ આજે આ સમારોહમાં એક ભાજપ પરિવારની આરએસએસની વિચારધારાની ઝાંખી જોવા મળી તેમજ પરશોત્તમભાઇ રૂપાલા દ્વારા કહેવાયું કે આ જીત કોઇની નથી માત્ર રાષ્ટ્રપ્રેમી જનતાની જીત છે. એટલે આ સમારોહ જનતાનો અને ભાજપના કાર્યકરોની જહેમત મળેલ જીતના સાચા હક્કદાર ભાજપના તમામ કાર્યકર્તાઓનો અભિવાદન સમારોહ છે તેમ અંતમાં કહેલ તેમજ આ સમારોહમાં આરએસએસની ઝાંખી એ માટે જોવા મળી કે આરએસએસ એક માત્ર રાષ્ટ્રપ્રેમી સંસ્થા છે જેના કાર્યકર્તાઓને માટે ક્યાંય ભોજન સમારંભ નથી ઉજવાતા જે મળ્યું તે એક સંતની માફત જમીને રાષ્ટ્રની સેવા બજાવી રહ્યા છે. એની ઝાંખી માટે અમરેલી ભાજપ પરિવાર દ્વારા તમામ કાર્યકર્તાઓની આજે ટીફીન મીટીંગનું આયોજન થયું હતું.

Previous articleબાબરામાં તબીબોએ રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું
Next articleઅમરેલી જિલ્લા સહકારી સંઘના ઉપપ્રમુખનો અભિવાદન સમારોહ