હિમતનગરના ગઢોડા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર :તળાવમાંથી કાચબાની પણ ઉઠાંતરી

490

હિમતનગરના ગઢોડા ગામની સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવામાં આવ્યો છે. મોરની હત્યા કર્યા બાદ ક્રુરતાથી તેમનાં પીંછા કાઢી લેવામાં આવ્યા હતા. આ સાથે તળાવમાંથી કાચબાની પણ ઉઠાંતરી કરવાની ઘટના બની હતી . જોકે ઉઠાવગીરીને જોઇને બાળકોએ બુમો પાડતાં અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. ચોરીની ઘટનાઓથી ફોરેસ્ટ વિભાગ અજાણ છે. પ્રાણીઓની આ સ્થિતીના કારણે જીવદયા પ્રેમીઓમાં દુઃખની લાગણી ફેલાઇ છે.   છાસવારે બનતી આવી ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારને લઈને તંત્ર કોઈ ગંભીર પગલા ભરે તેવી લોકોની માંગ છે.

Previous articleજિ.પં.ની સામાન્ય સભાઃ કોંગ્રેસ દ્વારા વ્હીપ મળનાર બળવાખોર સભ્યો ગેરહાજર રહ્યા
Next articleઅલ્ટો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પતિ-પત્ની અને માસુમ બાળકીનું ઘટનાસ્થળે કરૂણમોત