બપાડાનાં પાટીયા નજીક અકસ્માત : એકનું મોત

589

ભાવનગર તળાજા હાઈવે પર તળાજા ના બપાડા ના પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમા એક નુ ઘટના સ્થળે મોત

મથુર ચૌહાણ દ્વારા બોરડા  ભાવનગર તળાજા હાઈવે પર ભવાની હોટેલ નજીક બપાડા ના પાટીયા નજીક ઈકો કાર અને બાઈક નો અકસ્માત સર્જાયો હતો જેમા આધેડ વલ્લભભાઈ જીવાભાઈ બલર નામના વ્યક્તિ નુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટના ને લઈ ને ટાફિક જામ સર્જાયો હતો તાકીદે અંલગ તળાજા પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને  લાશ ને તળાજા હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી જ્યાં તળાજા રેફરલ હોસ્પિટલમાં  દરેક સમાજ આગેવાનો દોડી આવ્યા હતા અને પોલીસ જરૃરી તપાસ હાથ ધરી હતી.

Previous articleબાબરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી
Next articleવલ્લભીપુર ખાતે કૃષિ મહોત્સવના આયોજનમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ખેતી વિશે માર્ગદર્શન