નારોલમાં કરંટ લાગતા ૯ વર્ષીય બાળકનું મોત

630

અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ વનમાં કરંટ લાગવાના કારણે નવ વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. નવ વર્ષનો જૈમીન ભાવસાર એપાર્ટમેન્ટમાં રમતો હતો તે સમય દરમ્યાન સોસાયટીની સ્ટ્રીટ લાઈટ પાસે જમીનમાંથી કરંટ લાગતા જૈમીનનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

આ ઘટનાને લઇને સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ સોસાયટીમાં આવી ઘટનાઓ બની ચૂકી છે. સોસાયટીના ચેરમેન અને ટોરેન્ટ પાવર દ્વારા વાતને ધ્યાનમાં લેવામાં આવે અને ફરીથી આવી ઘટના ના બને તે માટે અપીલ પણ કરવામાં આવી છે. જૈમીનના પરિવારજનોમાં ત્રણ બહેનો વચ્ચે માત્ર એક નાનો ભાઈ હતો તેને લઈને હાલ તો પરિવારજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Previous articleજિ.પંચાયતમાં ૭ સભ્યોને ગેરલાયક ઠેરવવાની કોંગ્રેસની અરજી નિર્દિષ્ટ અધિકારીએ ફગાવી
Next articleઅદ્યતન ગીતામંદિર બસપોર્ટમાં મુસાફરોને પડે છે મુશ્કેલી, અંદર ચાલતા જવું પડે છે