રાજુલામાં મુક્તાનંદબાપુ – રમેશભાઇ ઓઝાનો સન્માન સમારોહ યોજાશે

501

ચાપરડાના પૂ.મુક્તાનંદ બાપુ સમસ્ત ભારત સાધુ સમાજના પ્રમુખ બનતા તેમનું તેમજ રાજુલા વિસ્તારના વતની પૂજ્ય રમેશભાઇ ઓઝાનું ભવ્ય સન્માન સમારોહ ભાવવંદના તેમજ ધર્મસભાનું આયોજન કરાયું છે જે આગામી ૭મી તારીખે માર્કેટીંગ યાર્ડમાં સાંજે ૪ વાગે યોજાશે. સમસ્ત રાજુલા ગામ સમસ્ત ભાવવંદના વ્યવસ્થાપક સમિતિ દ્વારા હાલ આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ તકે સાધુ સંતો ઉપસ્થિત રહેશે. જેમાં વલકુબાપુ ચલાલા જીણારામબાપુ, વિજયબાપુ સતાધાર, રાજેન્દ્રદાસ બાપુ ભક્તિરામબાપુ સાવરકુંડલા, મનજીદાદા બગદાણા, ધનસુખદાસબાપુ નેમિનાથ સુબોધાનંદજીબાપુ રામબાલકદાસ બાપુ, વાંકનીધર ભારદ્વાજગીરીબાપુ, બાબભાઇ બાપુ વાવડી, સનાતનદાસજી મહારાજ પ્રભુદાસબાપુ ગોંડલીયા, હરિનંદનસાંઇ, અખંડમંગલ સ્વામી સહિતના સાધુસંતો ઉપસ્થિત રહેશે.

શહેરભરમાં બેનરો મારવામાં આવ્યા છે. ધર્મમય વાતાવરણ બનતા ધર્મપ્રેમીભાઇઓમાં પણ આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હે વળી પૂજ્ય રમેશભાઇ ઓઝાએ પણ આ વિસ્તારમાં અનેક શૈક્ષણિક સેવાઓ કરેલી છે.

આ માટે પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકી ભાનુભાઇ રાજગોર કનકભાઇ જાની, મનોજભાઇ વ્યાસ, જે.બી.લાખણોત્રા, કિશોરભાઇ પટેલ, જીજ્ઞેશભાઇ પટેલ, કાળુભાઇ વાઘ, ભરતભાઇ બોરીચા, જીતુભાઇ સરવૈયા, મહેશભાઇ જોટંગીયા, ગણપતભાઇ જીનીંગવાળા, ભગવાનભાઇ વાઘ, નાથુભાઇ સોલંકી, જીકરભાઇ વાઘ, જેન્તીભાઇ તેરૈયા, કલ્પેશભાઇ ચોટલીયા, કે.જી.ગોહિલ, હરગોવિંદભાઇ રાયચા, પ્રવિણભાઇ ત્રિવેદી, વસંતભાઇ વાવડીયા, પ્રેમજીભાઇ મકવાણા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Previous articleરાણપુર સ્વીમી વિવેકાનંદ કો.ઓ. સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી
Next articleઢસા પોલીસ દ્વારા આડેધડ વાહનો મુકાતા ગ્રામજનો, વાલીઓમાં રોષની લાગણી