ચિતલમાં સરસ્વતી વિદ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો

535

ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ  અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા  સ્વ. રામજીભાઈ  સાવલિયા

ની  સ્મૃતિમાં  ધર્મેશભાઈ સાવલીયા પરિવાર ના સહયોગ થી ૫૫. મો નેત્રયજ્ઞ યોજાયો જેનું ઉદ્ઘટન ના લાયન્સ કલબ રોયલ અમરેલી ચેરમેન   રમેશભાઈ કાબરીયા અને એડવોકેટ  ઉદયન ભાઈ ત્રિવેદી ના હસ્તે કરવામાં આવેલ આ કેમ્પમાં ૭૦ થી વધુ દર્દીઓ એ લાભલીધેલ જેમાંથી ૨૦  દર્દીઓને મોતિયાં ઓપરેશન  રાજકોટ લઈ જવાયા

આ તકે મનુભાઇ દેસાઈ, જેબી દેસાઈ , સરપંચ સુરેશભાઈ પાથર, વેપારી મંડળ ના પ્રમુખ સુખદેવસિંહ સરવૈયા, કંચનબેન દેસાઈ, રંજનબેન ડાભી,જસવંતગઢ ના સરપંચ અશોકભાઈ સહિત ના  એ સરસ્વતી વિદ્યા મંદિર ટ્રસ્ટ ની અવરીત સેવા ની સરાહના કરી હતી  કાર્યક્રમ ને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અડપણ નીચે વજુભાઇ સેજપાલ, બીપીનભાઈ દવે  શાળાના આચાર્યે ભાવેશભાઈ બોદર ,દીવ્યેશ ભાઈ વગેરે જહમત ઉઠાવેલ

Previous articleધારપીપળા રોડ ઉપર લીકેજ લાઈનને લીધે હજ્જારો લીટર પાણીનો વેડફાટ
Next articleબાબરાના મોટા દેવળિયાની સીમમાંથી ૯૧ બોટલ દારૂ સાથે એક ઝડપાયો