લૂંટના ઇરાદે તિક્ષ્ણ હથિયારના ઘા મારી સુપરવાઇઝર યુવકની ક્રૂર હત્યા

404

છત્રાલમાં કરીયાણું લઇને ઘરે જતા યુવાનની લૂંટ કરવાના ઇરાદે શખસોએ હુમલો કરીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. મૃતક યુવાન ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને બનાવની વિગતો લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનજ ગામની સીમમાં આવેલી વિરાટ એલોઇઝ પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કૃષ્ણારામ ચેમ્મારામ બિશ્નોઇ (ઉ.વ.૪૦) નોકરી કરતો હતો. યુવાન કંપનીની બનાવેલી કોલોનીમાં જ રહેતો હતો. યુવાન ગત તારીખ ૯મી, જુલાઇ, મંગળવારના રોજ કરીયાણાનો સામાન લેવા ગયો હતો. કરીયાણાનો સામાન લઇને યુવાન કડી-છત્રાલ રોડ ઉપર પરત આવતો હતો. તે દરમિયાન વિક્રમ થર્મા કંપની પાસેની ખરાબાની જમીન ઉપર આવેલા કાન્તીજી ઠાકોરની દુકાનની પાસે ઝાડ નીચે અજાણ્યા ઇસમોએ લુંટના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનની હત્યા કરી હતી. હત્યાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. છત્રાલમાં યુવાનની હત્યાથી પોલીસ વડા મયુર ચાવડા, ડીવાયએસપી, તાલુકા પીઆઇ વી.એસ.માંજરિયા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

યુવાનને યુવાનની હત્યાના મામલે પોલીસે આસપાસના સીસી કેમેરાના ફુટેજ સહિતની ઝીણવટ ભરી તપાસ કરી હતી. પ્રાથમિક તબક્કે લુંટના ઇરાદે યુવાનની હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Previous articleમેઘરાજાને રીઝવવા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લોકો દ્વારા સ્વંયભૂ બંધ પળાયો
Next articleબાબા સાહેબ આંબંડકર યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો :કાલનુ પેપર આજે લેવામાં આવ્યું