નર્સીંગ એસો. દ્વારા સર.ટી.હોસ્પીટલમાં સુત્રોચ્ચાર

521

યુનાઇટેડ નર્સીંગ ફોરમનાં આદેશથી વિવિધ પ્રશ્ને ચાલતા આંદોલનના ભાગરૂપે આજે નર્સીંગ એસોસીએશન દ્વારા સર.ટી.હોસ્પીટલ ખાતે દર્દીઓને અડચણ ન થાય તે રીતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ નર્સીંગ કોલેજ પાસે એક દિવસમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો આગામી તા.૧ ઓગષ્ટનાં રોજ ગાંધીનગર ખાતે મહારેલી કાઢવામાં આવેશે. જેમાં બાવનગર સર.ટી.હોસ્પીટલનો નર્સીંગ સ્ટાફ જોડાશે.

Previous articleઅમરેલી રેશનશોપમાં થતી ગેરરીતી અંગે પોલીસ અને પુરવઠા વિભાગનું કડક ચેકીંગ
Next articleવિદ્યાધીશ ખાતે ભાવ.ની ૨૧ શાળાના ૩૦૦ સ્કાઉટ ગાઇડે માણ્યો હેન્ડીક્રાફ્ટનો આનંદ