ગાંધીનગરમાં વરસાદ પાછો ખેંચાતા પીવાના પાણીની અછતઃ જળના તર ઊંડા ઉતરતા લોકોને હાલાકી

431

વરસાદ ખેંચાયો છે તેવી સ્થિતિમાં ભુર્ગભ જળ ઉંડા ઉતરી ગયા છે ત્યારે ગાંધીનગર તાલુકામાં પાણીની સમીક્ષા માટે આજે તલાટીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પીવાના પાણીના આયોજન અંગે સમીક્ષા કરવા ઉપરાંત આગામી હર ઘર નલ સે જલના સર્વેની પણ કામગીરી તલાટીઓને સોંપવામાં આવી હતી.  આજની બેઠક અંગે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગાંધીનગર તાલુકાના ૭૦ જેટલા તલાટીઓની આજે ખાસ બેઠક રાખવામાં આવી હતી. જેમાં તાલુકામાં પાણીની શું સ્થિતિ છે અને પાણી વિતરણની વ્યવસ્થા સહિતની બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એલઓવી શૌચાલય અને સામુહિક શૌચાલયની કામગીરી અંગે પણ તલાટીઓ પાસે થી અહેવાલ લેવામાં આવ્યો હતો.

Previous articleબે ભાઈઓએ નાગરિક બેન્કને રૂા.૬૫ લાખનો ચૂનો ચોપડયો
Next articleગાંધીનગર એમએલએ કવાર્ટરમાં ધારાસભ્યો-પરિવારજનો દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી