પરિવાર સાથે અગાસી પર સુતેલી સગીરાનું અપહરણ કર્યા બાદ યુવકે દુષ્કર્મ આચર્યું

504

ફરી એક વખત સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાની ઘટના સામે આવી છે. પરિવાર સાથે સુતેલી ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી નરાધમે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. જેથી થોરાડા પોલીસે દુધ સાગર રોડ પર રહેતા ૨૨ વર્ષના તૌફિક રફિકભાઈ મડમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. છેલ્લા ૩૦ દિવસમાં સગીરા પર દુષ્કર્મનો આ ચોથો બનાવ સામે આવ્યો છે. પોલીસે ભોગ બનેલી સગીરાના માતાની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ પોકસો હેઠળનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું છે તેને ત્રણ સંતાન છે. ૨૬મીની રાત્રે પરિવારજનો અગાસી પર સુતાં હતાં. ત્યારે રાતે ૨ વાગ્યે તેની ઉંઘ ઉડતાં પથારીમાં ૧૪ વર્ષની દિકરી જોવા મળી ન હતી. જેથી તેને તપાસ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી. સવારે આઠેક વાગ્યે દિકરી ઘરે આવી હતી અને રડવા માંડી હતી. તેને રડવાનું કારણ પૂછતાં સગીરાએ જણાવ્યું હતું કે રાત્રીના એકાદ વાગ્યે મને તૌફિક મડમ મોઢે ડૂચો દઈ બળજબરીથી લઈ ગયો હતો અને જબરદસ્તી કરવા માંડ્યો હતો. આ સાથે જ કહ્યું કે કોઈપણ રીતે તેને નંબર મેળવી ફોન પર વાતો કરવા માટે દબાણ કરતો હતો. હાલ સમગ્ર મામલે પરિવારજનોએ થોરાળા પોલીસ સ્ટેશનમાં તૌફિક મડમ સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે આરોપીની ધરપકડ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તૌફિકની સગાઈ થઈ ચુકી છે અને તે રિક્ષા ચલાવે છે.

Previous articleસ્કૂલેથી બંક મારીને ફરવા નીકળેલા ધો.૧૦ના બે વિદ્યાર્થીનો અકસ્માત સર્જાયો
Next articleપતંજલિના તેલના પાઉચના બોક્સની આડમાં લઈ જવાતો ૩૬૦ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો