દશામાંની મૂર્તિ-ફોટાનું વેચાણ

730

તા.૧ ઓગષ્ટથી પ્રારંભ થતા પવિત્ર શ્રાવણ માસની સાથોસાથ દશામાંના વ્રતનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. ભાવનગર શહેર-જિલ્લામાં હજારો શ્રદ્ધાળુઓ દશામાંના દશ દિવસનાં વ્રત કરતા હોય છે. ત્યારે શહેરમાં દશામાંની મૂર્તિ, ફોટા, સાંઢણી સહિત પૂજાપાનો સામાન. શ્રીફળ, ચૂંદડીનું બજારમાં ધૂમ વેચાણ થવા પામેલ અને ભાવિકોએ તેની ખરીદી કરી હતી. દસ દિવસ ચાલનારા દસામાંના વ્રતની અંતિમ દિવસે પૂર્ણાહૂતી કરીને મૂર્તિ, ફોટા, સાંઢણી સહિતનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.

Previous articleસોનગઢ ગુરૂકુળ હાઇસ્કૂલમાં નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો
Next articleપ્રા.શાળાઓનાં ફિક્સ પગાર કર્મીઓને ઉચ્ચ પગારની દરખાસ્ત મંજુર કરાઇ