અમદાવાદઃ કચરાના ઢગલામાં પડેલી પ્લાસ્ટીકની થેલીમાંથી ‘નવજાત બાળકી’ મળી

521

માનવતાને પણ શરમાવે એવો એક કિસ્સો અમદાવાદ શહેરના સૈજપુર વિસ્તારમાં બન્યો છે. સૈજપુર વિસ્તારમાં આવેલા મોદી કમ્પાઉન્ડ પાસેના ખુલ્લા પ્લોટ નજીકથી એક યુવક પસાર થઇ રહ્યો હતો. ત્યારે કચરાના ઢગલા નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. યુવકે નજીક જઈને જોયું તો તેના હોશ ઊડી ગયા હતા. અહીંયાના કચરાના ઢગલામાં નવજાત બાળકીને એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત હાલતમાં મરવા માટે ત્યજી દીધેલી હતી. બાળકીને પોલીસે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં તે સંપૂર્ણ સ્વસ્થ છે.

નાના ચિલોડા પાસે આવેલ શ્યામશરણ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ઉદાસીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નવજાત બાળકી જીવિત હાલતમાં મળી આવ્યાની ફરિયાદ કરી છે. સંદીપભાઈ સૈજપુર બંગલા પાસે ગુરુનાનક પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. સોમવારે સાંજે સંદીપભાઈના પરિચિત રવિભાઈએ દુકાન પર આવીને કહ્યું હતું કે, સૈજપુર વિસ્તારના સિંધી કોલોની સામેના મોદી કમ્પાઉન્ડના ખુલ્લા પ્લોટ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્યાંના ઉકરડામાં એક પ્લાસ્ટિકની થેલીમાં જીવિત બાળકીનો રડવાનો સાંભળ્યો હતો.

સંદીપભાઈએ કચરાના ઢગલા પાસે જઈને જોયું તો પ્લાસ્ટિકની થેલીમાં એક નવજાત બાળકી જીવિત હાલતમાં જોવા મળી હતી, જેથી તેમણે આ અંગે પોલીસને જાણ કરતાં સરદારનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. હાલ બાળકીની હાલત એકદમ તંદુરસ્ત છે. બાળકીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા વધુ સારવાર કરવામાં આવી રહી છે.

Previous articleકલોલમાં સ્વતંત્રતા દિન પૂર્વેથી સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે
Next articleચિલોડા ક્રોસિંગ પાસે એક્ટિવાચાલક યુવતીને ટ્રકે કચડી, ઘટના સ્થળે મોત