ઇતિહાસમાં પહેલીવાર ખોલવા પડશે નર્મદા ડેમના દરવાજા, ૩ જિલ્લાને એલર્ટ

718

નર્મદા ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૩૦.૧૦ સુધી પહોંચી છે, પરંતુ ૧૩૧ મીટરે પાણીની સપાટી પહોંચશે તો ગમે તે ક્ષણે ડેમના દરવાજા ખોલવા પડશે. ડેમ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બની શકે કે સો ગુરુવારે રાતે એટલે કે શુક્રવારે વહેલી સવારે ૧ વાગ્યે ડેમના દરવાજા ખોલવા પડશે.ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. નર્મદા ડેમમાં ૬ લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. જેના કારણે હાલ ડેમની સપાટી ૧૩૦.૧૦ મીટર સુધી પહોંચી છે. દર કલાકે ૩૨ સેમીનો પાણીનો વધારો થઇ રહ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમને ૧૩૧ મીટર ભરવાની મંજુરી આપી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે, જેને ધ્યાને રાખી એવું લાગી રહ્યું છે કે શુક્રવારે વહેલી સવારે ૧ વાગ્યે ડેમની સપાટી ૧૩૧ મીટર સુધી પહોંચી જશે. આથી ડેમના દરવાજા ખોલવા પડી શકે છે. તો ડેમના દરવાજા ખોલવાની શક્યતાને લઇને રાજ્યના ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા, ભરુચ, નર્મદા જિલ્લાના કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ અપાયું છે.નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ થઇ ગયું છે. જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે કર્યો આદેશ કર્યો છે, જેમાં કલાસ -૧ અધિકારીને વિવિધ કાંઠા વિસ્તારનાં ૪૨ ગામોની ડીઝાસ્ટર સંબંધી જવાબદારી સોંપાઈ છે.

અધિકારીઓને મામલતદાર, સરપંચ,તલાટી અને પોલીસ સાથે સંકલન રાખવા સૂચના અપાઇ છે. રાહતની કામગીરી કરવાની સાથે ટ્રેકટર, દ્ઘષ્ઠહ્વની વ્યવસ્થા રાખવા સૂચના અપાઇ છે. કેટલા પ્રમાણમાં પાણી છૂટે તે પ્રમાણે કામગીરી કરવી. તમામ ૧૦ અધિકારીઓની કાલે બપોરે ૧ કલાકે કલેક્ટરે બેઠક બોલાવી. તકેદારીના ભાગરૂપે જ સૂચના અપાઈ છે.

Previous articleહરેન પંડ્‌યા પ્રકરણમાં દોષિત અસગર જેલ ભેગો
Next articleછોટાઉદેપુરમાં ૯ ઇંચ વરસાદ