સિંહ દિવસ ઉજવણીમાં જિલ્લામાં ૧૪ લાખથી વધુ વ્યક્તિઓ જોડાશે

516

ભાવનગર જિલ્લામા સિંહ દિવસની ઉજવણીમાં ૧૪ લાખથી વધુ વ્યક્તિઓ જોડાશે. ૧૦ ઓગષ્ટના કાર્યક્રમ સંદર્ભે આજે ભાવનગર ખાતે સંયોજકો સાથે બેઠક યોજાઈ હતી.

૧૦ ઓગષ્ટ વિશ્વસિંહ દિવસ સંદર્ભે આજે વન સંરક્ષક અધીકારી સંદિપકુમારે સંયોજકો સાથેની બેઠકમાં ભાવનગર શહેર તથા જિલ્લામાં આ ઉજવણી સંદર્ભે સમિક્ષા કરી હતી. આ સાથે ભાવનગર શહેરમાં એક વિશેષ કાર્યક્રમ માટે આયોજન અંગે ગોઠવણ કરાઈ હતી.

ગત વર્ષ સિંહ દિવસની ઉજવણીમાં ૧૧ લાખ જેટલી વ્યક્તિઓ સામેલ થયેલ, જયારે આ વર્ષે ૧૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, કર્મચારીઓ, અધિકારીઓ વગેરે વ્યક્તિઓ જોડાશે. જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુરે આ બેઠકમાં તમામ તાલુકાના ગામોમાં ઉજવણી સાહિત્ય મળવા અંગે તાકીદ કરી હતી. વન વિભાગના નિરવભાઈ મકવાણા અંકુરભાઈ વાઘેલા સહિત કર્મચારીઓએ વિકટોરિયા ઉદ્યાનની આ બેઠકમ ભાગ લઈ રૂપરેખા તૈયાર કરવામાં સાથ આપ્યો હતો.

Previous articleસિહોર ક્રિકેટ મેદાનમાં ફેંકાયેલા થર્મકોલ વેસ્ટ કોઈએ સળગાવ્યો
Next articleપંજાબી મ્યુઝિક વિડિયોથી શમિતા શેટ્ટી વાપસી કરશે