આદિવાડામાં ૩૦થી વધુ ઘરોમાં પાણી ભરાતાં ગ્રામજનોના બેહાલ

435

વરસાદી પાણીનો નિકાલ જીઆઇડીસીમાં થઇને ગટરમાં જતુ રહેતું હતું. પરંતુ જીઆઇડીસી અને આદીવાડા વચ્ચે દિવાલ ચણી લેતા વરસાદી પાણીનો નિકાલ નહી થવાથી માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ અંદાજે ૩૦ ઘરોમાં પાણી ભરાયા હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

શુક્રવારે ચોવીસ કલાકમાં ત્રણેક ઇંચ વરસાદ પડતા જ નગરના માર્ગો પાણીમાં અદ્દશ્ય થઇ ગયા હતા. જ્યારે ત્રણ ઇંચ વરસાદમાં આદિવાડીની હાલત કફોડી બની ગઇ હતી. આદિવાડા ભલે પાટનગરમાં સમાવિષ્ટ હોય પરંતુ વરસાદી પાણીના નિકાલની કોઇ જ નક્કર વ્યવસ્થા કરવામાં નહી આવતા દર વર્ષે ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાતિ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો.

Previous articleઆરએન્ડબીએ કપચી ભરી ગાબડું તો પૂર્યું, પણ પૂરતી દરકાર ન લેવાતાં ફરી બેસી જવાનું જોખમ
Next article૫ ઈંચ વરસાદમાં ૪૭ સ્થળે પાણી ભરાયાં, મ્યુનિ.એ હજાર પમ્પ મૂકીને ૪ કલાકમાં જ ૨૦૦ કરોડ લિટર પાણી ઉલેચ્યું