જમ્મુ કાશ્મીરમાં હાલ લાગુ અંકુશો આજથી હળવા થશે

710

જમ્મુ કાશ્મીરમાં લાગેલા નિયંત્રણોને આવતીકાલે સ્વતંત્રતા દિવસે હળવા કરવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા અને નિયંત્રણો ખુબ કઠોર  રાખવામાં આવ્યા હતા. જો કે હવે તમામ નિયંત્રણોને હળવા કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદથી ઇન્ટરનેટ અને ફોન સેવા બંધ હતી.  અલબત્ત આ સેવાને સામાન્ય બનાવવામાં હજુ સમય લાગી શકે છે. જો કે અન્ય નિયંત્રણોને બિલકુલ હળવા કરવામાં આવનાર છે. રાજ્યના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન રાજ્યપાલ મલિકે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને રાજ્યમાં આવવા માટેનુ આમંત્રણ એમ કહીને પરત લઇ લીધુ છે કે રાહુલ પોતાની શરત પર જ્મ્મુ કાશ્મીર આવવા માટે ઇચ્છુક છે પરંતુ આ બાબત હાલમાં શક્ય નથી.

મલિકે કહ્યુ હતુ કે ૧૫મી ઓગષ્ટ બાદ અવરજવરમાં લાગુ કરવામાં આવેલા તમામ નિયંત્રણોને હળવા કરી દેવામાં આવનાર છે. જો કે મલિકે ફોન અને ઇન્ટરનેટને યુવાનોને ઉશ્કેરનાર હથિયારો તરીકે ગણાવીને તેની ટિકા કરી છે. મલિકે કહ્યુ હતુ કે અમે દુશ્મનોને હથિયારો એ વખત સુધી આપીશુ નહીં જ્યાં સુધી તમામ ચીજો સામાન્ય બની જતી નથી. તેમણે દાવા સાથે કહ્યુ હતુ કે તમામ બાબતો એક સપ્તાહ અથવા તો ૧૦ દિવસમાં સામાન્ય બની જશે. ત્યારબાદ સંપર્કના સાધનોને પણ વધુ વ્યવસ્થિત કરી દેવામાં આવનાર છે. મલિકે રાહુલ ગાંધીની જોરદાર ટિકા કરી હતી. તેમણે કહ્યુ હતુ કે રાહુલ પોતાની શરતો પર રાજ્યમાં આવવા માટે ઇચ્છુક છે. રાજ્યપાલ મલિકની ટિકા કરતા દેખાયા હતા. મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવા માટેનુ આમંત્રણ પરત લેવાની વાત કરી હતી. હાલમાં રાજ્યપાલે જમ્મુ કાશ્મીરની સ્થિતી પર રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે તેઓ રાહુલ ગાંધી માટે વિમાન મોકલશે. જેથી રાહુલ જમ્મુ કાશ્મીરમાં ફરીને સ્થિતીની સમીક્ષા કરી શકશે. મલિકે કહ્યુ હતુ કે ગયા સપ્તાહમાં ૧૦ ટીવી ચેનલના લોકો ત્યાં પહોંચી ચુક્યા છે જેથી રાહુલે તેમની સાથે વાત કરીને સ્થિતી અંગે માહિતી મેળવી લેવી જોઇએ.મલિકે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વહેલી તકે સ્થિતી સામાન્ય બની જશે. સુરક્ષા જવાનો અને વહીવટીતંત્રના લોકો ઉલ્લેખનીય કામગીરી અદા કરી રહ્યા છે.

 

Previous articleબાલાકોટ એરસ્ટ્રાઇકમાં સામેલ પાંચ પાયલોટને વીરતા પુરસ્કાર
Next articleમોદી કોઇ નવી ઘોષણા કરી શકે : દેશવાસી ખુબ ઉત્સુક