નિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૭ દટાયા

485

અમદાવાદના બોપલમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીમાં ૩ લોકોના મોત થયાને હજી ગણતરીના દિવસો થયા છે. ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવામાં ૭ લોકો દટાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

એસ.પી. રીંગ રોડ પાસે આલેવા નિકોલમાં ભોજલધામ પાસે પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. મળતી માહિતી મુજબ આ ટાંકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવામાં આવી રહી હતી. ઘટનાની જાણ થતા ૭ જેટલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ટાંકી ઘરાશાઈ થતા કાટમાળમાં દટાયેલા ૬ લોકોને બચાવ કરવામાં આવ્યા હતા. બે લોકો હજી કાટમાળમા દટાયા હતા. ફાયર બ્રિગેટના ૩૦ જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે.

Previous articleગાંધીનગરમાં ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ
Next articleમિલકત વેરાના સરકારી બાકીદારોને સાણસામાં લેવા માટે તંત્ર હરકતમા