સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સિહોર કોંગ્રેસનું વૃક્ષારોપણ

415

ભારત ના પૂર્વ વડાપ્રધાન,ભારત વષઁ ના આધુનિક, ટેકનોલોજી ના પ્રણેતા, દેશ ને એકવિશમી સદી મા દોરી જનાર,ભારત ની એકતા અને અખંડિતતા માટે શહિદી લેનાર  સ્વ.રાજીવગાંધીની ૭૫મી જન્મ જયંતી આજરોજ  તા. ૨૦/૮/૨૦૧૯ ને મંગળવારના રોજ   ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા ના આદેશ અનુસાર ભાવનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઇ રાઠોડ ની સુચના અનુસાર  સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આજરોજ પાણી પુરવઠા ઓફીસ,સરકારી દવાખાના સામે, મેઇન રોડ સિહોર ખાતે સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ ની અધ્યક્ષતા મા  વૃક્ષા રોપણ કરી રાજીવ  ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી  આ વૃક્ષા રોપણ કાયઁકમ મા પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, નાનુભાઈ ડાખરા, પ્રદેશ સહમંત્રી જયરાજસિંહ મોરી,સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતા કિરણભાઈ ઘેલડા, મુકેશભાઈ જાની, કરીમભાઇ સરવૈયા, ઇકબાલભાઇ સૈયદ, માનશંગભાઇ ડોડીયા, યોગેશભાઈ વ્યાસ, રહીમભાઇ મહેતર, પી.ટી.સોલંકી, ડી.પી.રાઠોડ,  મુકેશભાઈ રાઠોડ  આરીફભાઇ ખોખર સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાયઁકરો જોડાયા હતા હતા.

 

Previous articleપાંચ મૂર્તિના  અને પાંચ જાગતા દેવ છે : રામકૃષ્ણ શાસ્ત્રી
Next articleરામમંત્ર મંદિરની એકતા શાળામાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠના હસ્તે ધ્વજવંદન