નર્મદા નદીના કિનારેથી યુવક-યુવતીનાં મૃતદેહ મળી આવતા ખળભળાટ

1014

ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠેશ્વર મંદિર નર્મદા નદીના કિનારેથી વલસાડના એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત છે. જેમાંથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યો છે.

નર્મદામાં સ્નાન માટે આવતા સ્થાનિક લોકોએ નદીના કિનારે મૃતદેહ મળ્યાની પોલીસને જાણ કરી હતી. જો કે, મૃતદેહ મળ્યાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

સ્થળ પર પહોંચેલી પોલીસે આ અંગે તપાસ કરતા મૃતકના પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં ત્રણ લોકોના નામ અને સહી હતા. જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા અને સુસાઇટ નોટમાં અન્ય એક નામ લખેલા મહિલાના મૃતદેહની શોધખોળ કરી રહી છે.

પોલીસને નર્મદા નદીના કિનારેથી મોસમી દોલતરાય સાગર (પુત્રી), રામકુમાર દોલતરાય સાગર (પુત્ર)નો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રંજનબેન દોલતરાય સાગર (માતા) જેમનો મૃતદેહ હજી સુધી મળ્યો નથી અને પોલીસ તેમની લાશની શોધખોળ કરી રહી છે. ત્યારે આ ત્રણયે કયા કારણો સર આપઘાત કર્યો છે તેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઆર્થિક સુસ્તી વચ્ચે સેંસેક્સ ૫૮૭ પોઈન્ટ ગગડી જતા ભારે હાહાકાર
Next articleટ્રેનની સીટ નીચેથી સફાઈ કર્મીને ૨૫ દિવસની જીવિત બાળકી મળી આવી