રાણપુરમાં શ્વેતાંબર જૈન સંઘ દ્રારા મહાવીરસ્વામી જન્મ વાંચનની ઉજવણી

489

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે શ્વેતાંબર મુર્તિપુજક જૈન સંઘ દ્વારા ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણક ની ઉજવણી કરવામાં આવી હતી.મહાવીર સ્વામીના જન્મવાંચન બાદ સ્વામી વાત્સલ્ય(સંઘ જમણ)યોજાયુ હતુ.ત્યારબાદ પારણા ઘોડીયા માં પધરાવવાનો લાભ શેઠ મનસુખલાલ જીવરાજભાઈ પરીવારે લીધો હતો.ભગવાન નું પારણુ ઘોડીયુ માથે લઈને રાણપુરમાં મહાવીર સ્વામી ભગવાનની નગરયાત્રા યોજાઈ હતી.આ નગરયાત્રા રાણપુરની મુખ્ય બજારોમાંથી પસાર થઈને શેઠ મનસુખલાલ જીવરાજભાઈ પરીવારે ભગવાનના પારણા ઘોડીયા ને પોતાના ઘરે લઈ જઈ રાતિજગો કરી રાત્રે મહાવીર સ્વામી ભગવાનના સ્તવન ગાઈ અદભુત ભાવના કરવામાં આવી હતી.રાણપુર જૈન સંઘ દ્વારા અહિંસા ના પુજારી શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ભારે આસ્થા ભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં જૈન સમાજના તમામ લોકોએ ભાગ લીધો હતો..

Previous articleતક્ષશિલા ખાતે ઉદ્યોગ સાહસિકતા સંસ્થાન દ્વારા સેમિનાર
Next articleસૂચના અને પ્રસારણ મંત્રાલયના લોકસંપર્ક કાર્યક્રમને બહોળો પ્રતિસાદ