બાબરી મસ્જિદ વિધ્વંસ કેસઃ પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણસિંહને કોર્ટનું સમન્સ

334

અયોધ્યાના બાબરી મસ્જિદ વિધ્વસં કેસમાં કોર્ટે ૯ સેપ્ટમ્બરે સીબીઆઈની વિશેષ કોર્ટે કલ્યાણ સિંહને ૨૭ સપ્ટેમ્બરે આરોપી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કર્યુ છે. વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે બારના સભ્યોને આ અંગે આદેશ આપ્યા છે. કલ્યાણસિંહ ઉત્તરપ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન તેમજ રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે.

બારના સભ્યોનું કહેવું હતું કે,કલ્યાણ સિંહ હવે રાજ્યપાલ પદથી સેવાનિવૃત થઇ ગયા છે. ૯ સેપ્ટેમ્બરના રોજ સીબીઆઈની વિષેશ કોર્ટે આ બાબતમાં કલ્યાણ સિંહને હાજર કરવાની માગ કરી હતી. કોર્ટે કહ્યુ હતું કે, કલ્યાણ સિંહ હવે બંધારણીય હોદ્દા પર નથી. જેથી તેમણે સમન્સ ઈશ્યુ કરાયું છે. ૩૦મી મે ૨૦૧૭ના રોજ આ મામલે ઝ્રમ્ૈંની વિશેષ કોર્ટે લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર તથા વિષ્ણુ હરી ડાલમિયા પર કલમ ૧૨૦મ્ અંતર્ગત આરોપ લગાવ્યો હતો. સીબીઆઈની તપાસ બાદ આ મામલે કુલ ૪૯ આરોપીઓ વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરાયુ હતું.જેમાંથી ૧૬ આરોપીઓના મૃત્યું થઇ ગયા છે. આ કેસમાં ૩૨ આરોપીઓ વિરૂદ્ધ સુનાવણી થઇ રહી છે .૨૦૧૭માં હાઇકોર્ટે આ કેસની સુનાવણી ૨ વર્ષમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ થતાં ૪૯ હ્લૈંઇ દાખલ કરાઈ હતી.

Previous articleશું ચૂંટણી પરિણામથી કોઈને પણ મારવાનો અધિકાર મળી જાય છે..?ઃ શશિ થરુર
Next articleડુંગળી આમ આદમીને રડાવશેઃ ભાવ ૮૦થી ૯૦ રૂપિયે કિલો પહોંચ્યા