૧૩માં માળેથી કુદેલી મહિલા વૃદ્ધ પર પડી, બંનેનાં મોત નીપજ્યાં

458

અમદાવાદના ખોખરા વિસ્તારનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલા અને વૃદ્ધનું મોત નિપજ્યું છે. બન્યું એમ હતું કે, ખોખરા વિસ્તારમાં બહુમાળીય પરિષકાર બિલ્ડીંગ આવેલી છે. ત્યારે આ બિલ્ડીંગના ૧૩મા માળેથી એક મહિલાએ નીચે ઝંપલાવ્યું હતું. પરંતુ મહિલા જ્યાં નીચે પડી ત્યાં એક વૃદ્ધ ઉભા હતા. તેથી મહિલા સીધી જ વૃદ્ધ પર પટકાઈ હતી. સમગ્ર ઘટનામાં વૃદ્ધ અને મહિલા બંનેનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ, બનાવની જાણ થતા જ ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા અસ્થિર મગજની હોવાની શક્યતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કાર નામની બિલ્ડીંગના ઈ બ્લોકમાંથી એક મહિલાએ નીચે ઝંપલાવ્યું હતું. આ મહિલાનું નામ મમતા કાઠી (ઉંમર ૩૦ વર્ષ) છે, જે સુરતથી અમદાવાદ રહેતા પોતાના ભાઈના ઘરે સારવાર આવી હતી. ત્યારે મહિલાએ પરિવારના લોકોથી નજર ચૂકવીને ૧૩મા માળે ગઈ હતી, અને ત્યાંથી નીચે કૂદકો માર્યો હતો. પરંતુ આ ઘટનામાં અકારણ જ એક વૃદ્ધનો જીવ ગયો હતો.

અસ્થિર મગજની આ મહિલા બિલ્ડીંગમાં નીચે ઉભેલા ૬૯ વર્ષના બાબુભાઈ ગામીત નામના વૃદ્ધ પર પડી હતી. જેમાં બાબુભાઈનું પણ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. એકસાથે બે મોતથી સમગ્ર પરિષ્કાર કેમ્પસમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Previous articleગાયબ વૃષ્ટિ કેસ : મોબાઈલ લોકેશન મહેસાણા મળતા તપાસ શરૂ, ટીમ રવાના
Next articleપ્રવાસી-યાત્રી સુવિધાના વિકાસ કામોના ખાતમૂર્હત કરશે : વિજયભાઇ રૂપાણી