ગુજરાતમાં ૨૦૨૦ સુધીમાં ૧૦૦૦ સીએનજી સ્ટેશન શરુ કરવામાં આવશે : મુખ્યમંત્રી રૂપાણી

464

દેશના કુલ CNG સ્ટેશન્સના ૩૧ ટકા એકલા ગુજરાતમાં-દેશમાં ૧૮૧૫  ગુજરાતમાં ૫૫૮  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતને પર્યાવરણપ્રિય પ્રદૂષણ રહિત પરિવહન સેવામાં અગ્રેસર બનાવવા CNG વ્યાપક ઉપયોગ કરવાની નેમ વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સી.એન.જી.ના ઉપયોગથી પેટ્રોલ-ડિઝલ જેવા ઇંધણથી થતા ધૂમાડા પ્રદૂષણથી મુકિત મેળવવા સાથે નવા CNG ફિલીંગ સ્ટેશન્સ-પંપ શરૂ થતાં વાહનચાલકોને લાંબી લાઇનમાં ઊભા રહેવાથી પણ મુકિત મળશે. મુખ્યમંત્રી CNG સહભાગી યોજના અન્વયે રાજ્યમાં ગુજરાત ગેસ લિમીટેડ અને સાબરમતી ગેસ લિમીટેડના સંચાલનીય ક્ષેત્રોમાં વધુ ર૧૪CNG સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા.તેમણે જણાવ્યું કે, ગુજરાતે ઝ્રદ્ગય્ના ઉપયોગમાં પણ દેશમાં લીડ લીધી છે. સમગ્ર દેશમાં ૧૮૦૦ જેટલા CNG સ્ટેશનમાંથી ૩૧ ટકા એકલા ગુજરાતમાં એટલે કે પપ૮ CNG સ્ટેશન સ્થપાયા છે.મુખ્યમંત્રીશ્રી એ નવા CNG સ્ટેશન્સ શરૂ થવાથી ઊપભોકતા CNG વપરાશકારો ગુજરાત ગેસ લિમીટેડ અને પંપ સંચાલકો ત્રણેય માટે વિન-વિન સીચ્યુએશનનું નિર્માણ થશે તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે આ નવા ઝ્રદ્ગય્ સ્ટેશન્સથી સ્થાનિક કક્ષાએ અંદાજે ૧પ હજાર લોકોને રોજગારી પણ મળતી થશે.

રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં ‘‘સ્વચ્છ ગુજરાત ગ્રીન-કલીન ગુજરાત’’ની સંકલ્પના સાથે જૂન-ર૦૧૯માં CNG સહભાગી યોજનાની શરૂઆત કરીને ૩૦૦ જેટલા નવા CNG સ્ટેશન્સ ઊભા કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.માત્ર ત્રણ જ માસમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી આજે ર૧૪ સ્ટેશન્સ શરૂ કરવા માટેના ફાળવણી પત્રો અર્પણ થયા છે તે પારદર્શીતા, નિર્ણાયકતા સાથે ત્વરિત ઝડપી પ્રશાસનની પ્રતીતિ કરાવનારી ઘટના છે. એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ ર૦ર૦ સુધીમાં સમગ્ર રાજ્યમાં ૧ હજાર જેટલા CNG ફિલીંગ સ્ટેશન્સ પંપ શરૂ કરવાના રાજ્ય સરકારના લક્ષ્યાંકની વિગતો આપતાં ઉમેર્યુ કે, પર્યાવરણની ચિંતા કરીને પ્રદૂષણ રહિત વિકાસની પ્રતિબધ્ધતા પાર પાડવી છે. તેમણે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતના વપરાશને વેગ આપવા ઘરવપરાશની સૌર વીજ ઉત્પાદન માટે સોલાર રૂફટોપ, સ્જીસ્ઈ એકમોને સૌર ઊર્જાના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા અભિનવ આયામોથી ગ્લોબલ વોર્મિગ સામેના પડકારોને પહોચી વળવા ગુજરાતની સજ્જતાની પણ ભૂમિકા આપી હતી.મુખ્યમંત્રીએ આ નવા પંપ સંચાલકોને ઝ્રદ્ગય્ પંપ ઝડપથી કાર્યરત કરીને ગુજરાતના CNG વાહનચાલકોને સરળતાએ અને ઝડપી CNG ઇંધણ મળી રહે તે માટેનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યુ હતું.

Previous articleકર્મચારીઓને ૩૫૦૦ની મર્યાદામાં બોનસ અપાશે
Next articleજીલ્લા કક્ષાના કલા ઉત્સવમાં રાણપુરની જન્મભૂમિ હાઈસ્કુલના તેજસ્વી તારલાઓ ઝળક્યા