ભાવનગર શિશુવિહાર ખાતે સંગીત પ્રેમીઓએ માણ્યો સુરીલો કાર્યક્રમ

418

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર એલ.સી.બી.ભાવનગરના પોલીસ ઇન્સ. એસ.એન. બારોટ તથા પો.સ.ઇ. એન.જી.જાડેજા એ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હેગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તેયાર કરી જેમાં વસીમ ઉર્ફે લંઘાની ગેંગ ઉપર કુલ-૧૪ આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો. ૪૦૧,૩૪ મુજબનો ગુન્હો શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ  જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી   વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાનન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં, શિહોર પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૦૧,૩૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી શાહિલ ઉર્ફે સાયલો ઇકબાલભાઇ કુરેશી  રહે. મોતી તળાવ શેરી નં-૬ કુંભારવડા ભાવનગર વાળો વડવા તલાવડી  હોવાની હકિકત મળતા તુરતજ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા શાહિલ ઉર્ફે સાયલો ઇકબાલભાઇ કુરેશી  રહે. મોતી તળાવ શેરી નં-૬ કુંભારવડા ભાવનગર વાળા હોવાનું જણાવતા શિહોર પોલીસ સ્ટેશનમાં ફ.ગુર.ન. ૭૪/૨૦૧૯ ઇ.પી.કો.-૪૦૧,૩૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબની કાર્યવાહી કરી સોપી આપેલ અને સદરહું બાબતે શિહોર પોલીસ સ્ટેશનમાં જણા કરવા તજવીજ કરવમાં આવેલ છે.

Previous articleઆજથી શરૂ થતાં આશ્વિન માસમાં કૃષ્ણ પક્ષનાં પખવાડિયાના દિવસોનું પંચાંગ-વિવરણ
Next articleગોહિલવાડ રાજપુત મહિલા સમાજના બહેનોએ રાજયમંત્રીની શુભેચ્છા મુલાકાતે