ગુજરાતી અભિનેતા ફિરોઝ ઈરાનીના નિધનની અફવા ફેલાઈ

371

ગુજરાતી ભાષાની ફિલ્મોમાં ખલનાયક તરીકે ફેમસ થયેલા એક્ટર ફિરોઝ ઈરાનીનું આજે દુખદ નિધન થયું છે તેવા સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વાયુવેગે ફેલાઈ ગયા હતા. જોકે, આ એક અફવા નીકળી હતી. પીઢ એક્ટર ફિરોઝ ઈરાનીએ સોશિયલ મીડિયા પર આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેમના નિધનના સમાચાર એક અફવા છે. તેઓ એકદમ સ્વસ્થ છે.

ફેસબુક પર ખુલાસો કરતા ફિરોઝ ઈરાનીનો એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં તેમણે જણાવ્યું કે, મારા ફેન વર્ગને મારે જણાવવુ છે કે હું સાવ હેમખેમ છું અને એકદમ મજામાં છું. મારા વિશે આ અફવા ખોટી ફેલાવવામાં આવી છે. જેણે પણ નેગિટિવ પબ્લિસિટી કરી છે તેનું જે થશે એ બધા જોઈ લેશે. મારી ફિલ્મ મિસ્ટર કલાકાર હવે રિલીઝ થવાની છે. એને લઈને કોઈએ નેગેટિવ પબ્લિસિટી કરી હોય તેવું મને લાગે છે. તમારા બધાનો આભાર. હું એકદમ મજામા છું.

Previous articleતીવ્ર લેવાલી વચ્ચે સેંસેક્સ ૨૪૬ પોઇન્ટ સુધરીને બંધ : નવી આશા
Next articleચોર હોવાના વ્હેમમાં યુવાનને રહેંસી નાંખનાર માલિક સહિત પાંચ ઝડપાયા