ઘોઘા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્ત ફરતો આરોપીને ઝડપી લેતી એલસીબી

378

આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા પોલીસ સ્ટેશન ના ઇ.પી.કો. ૪૯૮(ક), ૧૧૪ ના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી (૧) મંગાભાઇ ઉર્ફે મનોજ જયંતિભાઇ વેગડ (ર) કેતનભાઇ જયંતિભાઇ વેગડ રહે. બંન્ને સુરત મુળ-વલ્લભીપુર વાળા અવાણીયા ગામના બસ સ્ટેશન પાસે  હોવાની હકિકત મળતા તુરતજ અવાણીયા ગામના બસ સ્ટેશન પાસે આવતા મજકરુ બાતમી વાળા ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમોને  પકડી નામ સરનામું પુછતા (૧) મંગાભાઇ ઉર્ફે મનોજ જયંતિભાઇ વેગડ (ર) કેતનભાઇ જયંતિભાઇ વેગડ રહે. બંન્ને સુરત નાના વરાછા ચિકુ વાડી સી.એન.જી. પેટ્રોલ પંપ પાસે સુર્ય કિરણ સોસાયટી મુળ-વલ્લભીપુર જી.ભાવનગર વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમો ની  પુછપરછ કરતા ઘોઘા પોલીસ સ્ટેશનામાં સદરહું બાબતે ફરીયાદ નોઘાયેલ છે. અને તે ગુન્હામાં અટકાયત કરવાની બાકી છે. અને નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ઘોઘા પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.ન.૬૭/૨૦૧૯ ઇ.પી.કો.-૪૯૮(ક),૧૧૪ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય તપાસ કાગળો સાથે આરોપીઓ ને ઘોઘા પોલીસ સ્ટેશનમાં સોપી આપવામાં આવેલ છે.

Previous articleવડવા નેરા પાસેથી અપહરણના ગુન્હાના માસ્ટર માઈન્ડ આરોપીઓ ઝડપાયા
Next articleખંડણીની ફરિયાદ બાબતે રાત્રે શિશુવિહાર સર્કલ પાસે હુમલો